ગુજરાતના ફરવાલાયક સ્થળો: Tourist Place Of Gujarat: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને લોકો રાજાઓના સમયમાં બહાર ફરવા માટે જતાં હોય છે. ત્યારે થોડા સમય પહેલા વરસાદી ઋતુ પણ ગઈ છે. એટ્લે લોકો હિલ સ્ટેશન, પર્વતો, નદીઓ, ઝરણાઓ, ગઢ જંગલો વગેરે માં ફરવા જતાં હોય છે. ત્યારે વરસાદી ઋતુમાં પ્રકૃતિ જાણે સોળે કળાએ કીલી હોય તેવું રમણીય સ્થળોનો આનંદ લેવાનું મન થઈ જાય છે. આ માટે ગુજરાતના ફરવાલાયક સ્થળો વિષેની માહિતી મેળવીશું કે જેમાં જાય એક વખત ગયા પછી રિટર્ન આવવાનું મન જ નહીં થાય તેવા સ્થળો છે. આવો જોઈએ આ ગુજરાતના ફરવાલાયક સ્થળો વિશેની માહિતી.
ગુજરાતના ફરવાલાયક સ્થળો
ગુજરાતમાં ઘણા તીર્થ સ્થળો, શહેરો તેની જુદી જુદી ખાસિયતોને લીધે પ્રખ્યાત છે. પણ કુદરતે જ્યાં પેટ ભરીને માણી શકાય એવા સ્થળોની વાત કરવામાં આવે તો? અને એવા જ્સ્થલો કે જ્યાં કુદરતે રચેલ હોય. કુદરતે બક્ષેલા કુદરતી તત્વો નિહાળવાના હોય ત્યારે એવા સ્થળો પણ છે ગુજરાતમાં કે જ્યાં તમે કુદરતને મન ભરીને માણી શકો છો. જેના વિશે તમે ત્યાં જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ. અને તે તમારા જીવનનો યાદગાર પ્રવાસ બની જાય. તો આવો જોઈએ આ ગુજરાતના ફરવાલાયક સ્થળો….
ગીરનું જંગલ
ગુજરાતના ફરવાલાયક સ્થળો માં સૌથી પહેલા જોઈએ તો ગીરનું જંગલ એ ગુજરાતનો સૌથી મોટો જંગલ વિસ્તાર છે. સિંહોની વસ્તી ધરાવતું અદ્ભુત વન. ઘણી બધી જાત જાતના વૃક્ષો, અનેક નદીઓ અને નાળાઓ સહિત ઝરણાઓ ધરાવતો પ્રકૃતિક વિસ્તાર. માઈલો સુધી પથરાલેયું આ ગીરનું જંગલ પ્રકૃતિનું એક ઉતમ ઉદાહરણ છે. અહી આવેલ ગીર નેશનલ પાર્કની મુલાકાત ખરેખર લેવા જેવી છે. ગીરના જંગલમાં આવ્યા હોય અને સિંહના દર્શન ન થાય તો તો કઈ જોયું જ ન કહેવાય. એ ઉપરાંત અહી વિવિધ જાતના પ્રાણીઓ મુક્ત રીતે હરે ફરે છે. પ્રકૃતિ અને પ્રાણીઓના સંગમ સાથે આ સ્થળની મલકાટ યાદગાર બની રહેશે.
સાપુતારા
ગુજરાતનું હવા ખાવા માટેનું એક માત્ર સ્થળ એટ્લે સાપુતારા. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલી સપૂતરની ભવ્ય પહાડીઑ ખરેખર અદ્ભુત છે. અહી પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવું લાગે છે. લોકોના ઔદ્યોગીકરણએ હજુ સુધી અહી પગપેસારો ન કર્યો હોવાથી આ સ્થળે હજુ સુધી સુરક્ષિત છે. સાપુતારા મુખ્યત્વે આદિવાસીઓ નું રહેઠાણ છે. અહીની પહાદીઓ પર સનસેટ અને સનરાઇઝ નો લ્હાવો લેવા જેવો છે. તેમજ અહી આદિવાસી મ્યુઝિયમ આવેલું છે તે પણ જોવા લાયક છે. તેમજ સાપુતારા થી થોડે દૂર ગુજરાતનો નયગ્રા ધોધ એટ્લે કે ગિરા ધોધ પણ અહી આવેલો છે.
આ પણ વાંચો: બેસ્ટ 5G ફોન: 15000 સુધીમાં શાનદાર 5G ફોન, આ મોડલમાં મળશે 6000 mAh ની દમદાર બેટરી.
તારંગા
ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં એક મહેસાણા જિલ્લાનું સતલાસણાતાલુકામાં આવેલ તરંગ પર્વત છે. આ તારંગા હિલ 1200ની ઊંચાઈ એ આવેલી ટેકરીઓ છે. મુખ્યત્વે તે અરવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. અહી ઉપરથી જોતાં માઈલો સુધી પથરાયેલી અરવલ્લીની પર્વતમાળા અદ્ભુત નઝરો જોવા મળે છે. આ પર્વત પર જૈન મંદિર આવેલા છે. કુમારપાળ દ્વારા અહી અજીતનાથનું દેરું બનાવેલું છે. આ ઉપરાંત અહી ઘણા જૈન મંદિરો આવેલા છે. જૈન લોકો માટે આ શ્રધ્ધાનું કેન્દ્ર છે.
પાલિતાણા
ભાવનગર જીલ્લામાં આવેલ જૈન ધર્મનું પ્રખ્યાત સ્થળ છે. આ નાગર ને મંદિરોનું નાગર પણ કહેવામા આવે છે. અહી જૈનોની યાદગીરી રૂપે ઘણા મંદિરો આવેલા છે. સુંદર કોતરણી અને પવિત્રતાનો સંગમ, જોતાં જ રહીએ આવી આકર્ષણની અનુભૂતિ થાય છે. જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ સાથે જોડાયેલ આ તીર્થને તમામ જૈન તીર્થમાં સર્વોચ્ચ માનવમાં આવે છે. અહીનું વાતાવરણ બધાને આકર્ષિત કરે છે.
આ પણ વાંચો: જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.
ગિરનાર
ગિરનાર માં આવેલા ધોધ, અહીના ઝરણાઓ, તેમજ અહી મળતી ઔષધીઓ. દિવસ અને રાત અહી રખદ્વનું જમણ થાય એવો એહસાસ. ગિરનારની ટૂક ઉપર ગુરુદત બિરાજમાન છે. તો અહી આવેલો ઉપરકોટનો કિલ્લો કેમનો બાકી રહી જાય. ગુજરાતનું મહત્વની તીર્થ સ્થળ. અને ઔથી ઊંચાઈ આવેલ એટ્લે ગિરનાર. જૂનાગઢની ઉપર ગિરનાર જાણે પડછાયો બનીને ઊભો છે. આ સ્થળ એટ્લે પ્રકૃતિમાં મન મોહી જાય છે. ગિરનાર અને ગીરનું જંગલ બંને સ્થળની મુલાકાત લેવા જેવી છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

ગીરનાર પર્વત ક્યા આવેલ છે ?
ગીરનાર પર્વત જુનાગઢ મા આવેલ છે.
સાપુતારા કયા આવેલુ છે ?
સાપુતારા ડાંગ જિલ્લામા ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદે આવેલ છે.
1 thought on “ગુજરાતના ફરવાલાયક સ્થળો: ગુજરાતનાં 5 ફરવા લાયક સ્થળો, અહી ફરવા જશો તો રિટર્ન આવવાનું મન નહીં થાય.”