વાસી રોટલી ના ફાયદા:: આપણે ઘણી વખત રાત્રે બનાવેલી રોટલી સવારે ખાતા નથી અને આ વધેલી રોટલી ફેકી દેતા હોઈએ છીએ. પરંતુ આ વાસી રોટલી આપણને ઘણી બીમારીઓથી દૂર રાખવામા મદદ કરે છે. વાસી રોટલીનું સેવન કરવાથી ઘણા આરોગ્યવિષયક લાભ મળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે વાસી રોટલીમાં સમય પહેલા સ્વસ્થ બેક્ટેરિયાનો વિકાસ થાય છે અને આ હેલ્ધી બેક્ટેરિયા ઘણા ફાયદા કરે છે આપણને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. સવારે વાસી રોટલીનું સેવન કરવાથી તમે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને પેટ સંબંધિત સમસ્યાઓથી દૂર રહી શકાય છે. તેથી, તમારે સવારે વાસી રોટલી ખાવી જોઈએ. તો ચાલો આજે આ પોસ્ટમા જાણીએ વાસી રોટલી ખાવાના ફાયદાઓ.
વાસી રોટલી ના ફાયદા
વાસી રોટલી ખાવાથી ઘણા ફાયદા થાય છે. જે નીચે મુજબ છે.
- ડાયાબિટીઝ કે સુગરની સમસ્યામાં વાસી રોટલી લાભકારક હોય છે. દરરોજ ખાંડ વગરના મોળા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
- બ્લડ પ્રેશરઃ ઠંડા દૂધમાં વાસી રોટલીને 10 મિનિટ સુધી બોળીને રાખો. દૂધમાં બોળેલી આ રોટલીને સવારે નાસ્તામાં ખાવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમા રહે છે.
આ પણ વાંચો: પીળા દાંત સફેદ કરવા માટે ટીપ્સ
- સ્ટ્રેસ કંટ્રોલઃ પેટ ખરાબ હોય તો તેના કારણે પણ સ્ટ્રેસની સમસ્યા પણ રહેતી હોય છે. તેવા કિસ્સામાં દૂધ અને વાસી રોટલી ખાવાથી પાચન સંબંધી તકલીફો દૂર થાય છે.
- શરીરનું તાપમાન બેલેન્સ રાખી શકાય
- વાસી રોટલીઓ શરીરનુ તાપમાન મેન્ટેઈન કરવામાં ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને ગરમીમાં વાસી રોટલી ખાવાથી લૂ લાગવા જેવી સમસ્યા થતી નથી.
- શરીર ભરાવદાર થાય છે.
- શરીરને એનર્જી આપવા માટે પણ વાસી રોટલી ખુબ કામમાં આવે છે. તેનાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે અને દુબળાપણાને દૂર કરવા માટે રાતના સમયની વાસી રોટલી ખાવી સૌથી અકસીર ઉપાય માનવામાં આવે છે.
- તમે વાસી રોટલીથી ફેસ પેક પણ તૈયાર કરી શકો છો. જેનો પહેલીવાર ઉપયોગ કરવામાં જ સારુ પરિણામ મળે છે. વાસી રોટલીમાંથી બનાવેલા ફેસ પેકનો રેગ્યુલર ઉપયોગ કરવાથી ચામડી પર આવેલા વધતી ઉંમરના ડાઘ અને નિશાન પણ જતા રહે છે.
- ઇન્સસ્ટ ગ્લો માટે તમે આ સ્ક્રબનો કોઇપણ સમયે ઉપયોગ કરી શકાય છે. આ મિશ્રણને ચાર મિનિટ સુધી સ્કિન પર હળવા હાથે ઘસો અને પછી તાજા પાણીથી ચહેરો ધોઇ નાંખો.
વાસી રોટલી ખાવાથી ઉપર મુજબના ફાય્દાઓ રહેલા છે. પરંતુ વાસી રોતલી ખાતા પહેલા ખાસ એ ચેક કરવુ જોઇએ કે આ વાસી રોટલી ખાવ લાયક છે કે કેમ ? જો ખાવાલાયક હોય તો પછી જ તેનો ખોરાક મા ઉપયોગ કરવો જોઇએ. ઘઉંની રોટલી બનાવીને 8 થી 12 કલાક પછી એને ખાવામા ઉપયોગ લેવાથી વધુ પૌષ્ટિક પુરવાર થયેલ છે, આજ કારણ છે કે, પહેલાના વખતના લોકો સવારે ખાવા માટે રાતે જ રોટલી બનાવીને રાખતાં હતા
અગત્યની લીંક
Home page | Click here |
Join our whatsapp Group | Click here |
વાસી રોટલી કોને કહેવાય ?
સાંજે બનાવેલી રોટલી સવારે ઉપયોગ લેવામા આવે તેને વાસી રોટલી કહેવાય.
વાસી રોટલી ખાતા પહેલા શું ધ્યાન રાખવુ જોઇએ ?
વાસી રોટલી રોટલી ખાતા પહેલા તે ખાવાલાયક છે કે નહિત એ અવશ્ય ચેક કરવુ જોઇએ.
1 thought on “વાસી રોટલી ના ફાયદા: વાસી રોટલી ફેંકી દેતા પહેલા વિચારજો, ખાવાથી થાય છે આટલા ફાયદા”