Weather Forecast: ગુજરાત માવઠુ આગાહિ: છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમા શિયાળાએ વિદાય લીધા બાદ ઉનાળાને શરૂઆત થવાને બદલે કમોસમી વરસાદ એટલે કે માવઠું થઇ રહ્યુ છે. ખેડૂતોને ઘઉ,જીરુ,લસણ,ડુંગળી જેવો પાક તૈયાર થઇ રહ્યો છે અને કમોસમી વરસાદથી પાક બગડી રહ્યો છે. એવામા હવામાન વિભાગે હજુ 5 દિવસ અમુક જિલ્લાઓમા માવઠા ની આગાહિ કરી છે. ત્યારે જોઇએ હજુ 5 દિવસ કયા જિલ્લાઓમા કમોસમી વરસાદની આગાહી છે.
Weather Forecast: ગુજરાત માવઠુ આગાહિ
સાક્લોનિક સરક્યુલેશન ની અસરના કારણે રાજ્યના વાતાવરણ મા થોડા દિવસથી પલટો આવ્યો છે. છેલ્લા 5 દિવસથી રાજ્યના ઘણા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ અને કરા પડી રહ્યા છે. અને ખેડુતોના તૈયાર પાકને નુકસાન થઇ રહ્યુ છે. અને બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. હજી પણ માવઠુ આવતા 5 દિવસ પીછો છોડવાનુ નથી. હવામાન વિભાગે આગાહી કરી છે. કે સાક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ગુજરાતના અમુક વિસ્તારોમા કમોસમી વરસાદ યથાવત રહેશે. આગામી 5 દિવસ આવુ વાતાવરણ યથાવત રહેશે. રાજ્યના અમુક ભાગમાં ભારે પવન અને ગાજવીજ સાથે કે સામાન્ય વરસાદ થવાની શકયાતાઓ રહેલી છે.
આ પણ વાંચો: આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક કરવાની પ્રોસેસ જાણો
20 માર્ચ વરસાદ આગાહિ
20 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર પોરબંદર અને જુનાગઢ જિલ્લાના અમુક વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.
21 માર્ચ વરસાદ આગાહિ
21 માર્ચ ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.
આ પણ વાંચો: ઉનાળામા ઘરે બનાવો દેશી કોલ્ડ ડ્રીંકસ જાનો રેસિપી
22 માર્ચ વરસાદ આગાહિ
22 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની શકયતા રહેલી છે.
23 માર્ચ વરસાદ આગાહિ
23 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થશે
કમોસમી વરસાદથી હાલ લોકો અને ખાસ કરીને ખેડૂતો કંટાળી રહ્યા છે. ત્યારે ક્યારે માવઠુ ક્યારે પીછો છોડશે તેની આશા લોકો રાખી રહ્યા છે. પરંતુ આવતા 5 દિવસ તો હજુ માવઠુ પીછો છોડે તેવુ દેખાતુ નથી. તેવામા ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક બચાવવા દોડધામ કરી રહ્યા છે. આ દિવસોમા ગુજરાતમા ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડયો છે અને ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકશાન થયુ છે. વરસાદ અંગે અંબાલાલની આગાહિ સાચી પડી છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |