Sarangpur Live Darshan: સાળંગપુર દર્શન: સાળંગપુર આજના લાઇવ દર્શન: સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન : ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં બરવાળા ગામ પાસે સાળંગપુર હનુમાનજી દાદા નું મંદિર આવેલું છે. અહીં દેશ વિદેશમાથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે, અને અહીં આવનાર ભક્તોને દર્શન માત્રથી જ હનુમાનજી તેમના જીવનના તમામ કષ્ટો દૂર કરી દે છે. સાથે સાથે ગ્રહ પીડા કે શત્રુ પીડા પણ નાશ પામે છે. ઘણા લોકો ઘરેબેઠા દાદાના લાઇવ દર્શન કરવા માંગતા હોય છે. આ માટે લાઇવ દર્શન લીંક મૂકેલી છે. જેના પરથી તમે દરરોજ લાઇવ દર્શન કરી શકસો.
સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન
આ મંદિરનો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શ્રી ગોપાલનંદ સ્વામી એ આ મંદિરનો પાયો સ્થાપ્યો હતો, અને આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું એવું માનવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો: શહેરોને ટક્કર મારે તેવા ગુજરાતમા આ 5 ગામડાઓ વિશે જાણો
સારંગપુરના મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાના દુઃખ લઈને આવે છે અહીં ઘણા શ્રદ્ધાળુઓ ભૂત પ્રેત ના વડગાડ ના નિવારણ માટે આવતા હોય છે. મેલી વિદ્યા, મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.
Sarangpur Live Darshan
દર્શન સમય | સવારે 6 થી બપોરે 2 અને સાંજે 4 થી રાત્રે 9 |
પ્રસાદનો સમય | બપોરે 1 થી ૩ વાગ્યા સુધી |
પૂજન માટે નો સમય | સવારે 8 થી 9 |
ફી | નિઃશુલ્ક |
શહેર | બોટાદ |
જિલ્લો | બોટાદ |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.salangpurhanumanji.org |
સાળંગપુર કષ્ટભંજન દેવના લાઈવ દર્શન
સાળંગપુરનું આ મંદિર નુ મેનેજમેન્ટ હાલ BAPS ની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ મંદિર ખુબ જ સરસ અને સમગ્ર ભારત માં પ્રસિદ્ધ છે. અહી લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે છે, તેમજ દર્શનાર્થીઓ દુર દુર થી સાળંગપુર મંદિરના દર્શને આવતા હોય છે. ત્યારે લાખો લોકો ઘરેબેઠા દરરોજ યુ ટ્યુબ ના માધ્યમથી કષ્ટભંજન દાદાના લાઇવ દર્શન કરતા હોય છે. આ પોસ્ટમા લાઇવ દર્શન કરવા માતે Youtube તથા ઓફીસીયલ વેબસાઇટની Sarangpur Live Darshan ની લીંક આપેલી છે. જેના પરથી તમે દરરોજ લાઇવ દર્શન કરી શકસો.
સાળંગપુર કષ્ટભંજન દેવ ના લાઇવ દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
શ્રદ્ધાનું પ્રતિક એટલે સાળંગપુર ધામ. કષ્ટભંજન દાદાનુ સાળંગપુર ધામ હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે સાળંગપુર આવતા ભક્તોને 7 કી.મી. દૂરથી દાદા ના દર્શન થશે. હનુમાન જયંતિ નીમીતે દાદા ના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.
Sarangpur Live Darshan Link
લાઈવ દર્શન Youtube chanel | અહીં ક્લિક કરો |
લાઈવ દર્શન Official Website | અહીં ક્લિક કરો |
Home page | અહીં ક્લિક કરો |
સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
સાળંગપુર ક્યા આવેલુ છે ?
સાળંગપુર બોટાદ જિલ્લામા આવેલુ છે.
સાળંગપુર મા કયા પ્રોજેકટનુ અનાવરણ કરવામા આવ્યુ ?
કિંગ ઓફ સાળંગપુર