સાયક્લોન અપડેટ: બિપોરજોય વાવાઝોડુ: low-pressure area: windy.com: ગુજરાત પર હાલ બિપોરજોય નામનુ વાવાઝોડુ ટકરાવાનુ જોખમ મંડરાઇ રહ્યુ છે. ત્યારે આ બિપોરજોય વાવાઝોડુ વારંવાર તેનો ટ્રેક બદલી રહ્યુ છે. અગાઉ આ સાયક્લોન દ્વારકા એન માંગરોળ વચ્ચે ટકરાય તેવી શકયતાઓ હતી હવે તેનો ટ્રેક બદલાવાથી આ વવાઝોડુ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે અથડાય એવી સંભાવનાઓ છે. ત્યારે ચાલો જાણીએ આ સાયક્લોન અપડેટ અંગે લેટેસ્ટ શું માહિતી છે ?
વાવાઝોડા અંગે લેટેસ્ટ અપડેટ
- વાવાઝોડુ 15 જૂને માંડવી અને કરાંચી વચ્ચે લેન્ડફોલ થવાની શકયતા
- સાયકોનની કેટેગરી એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી વેરી સિવિયર સાઇક્લોનિક સ્ટ્રોમમાં બદલાઈ છે
- લેન્ડફોલ થતાની સાથે વાવાઝોડું વધુ સ્ટ્રોંગ બનશે
- સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની છે શક્યતા
- 14 જૂનના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
- 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
- રાજ્યના મોરબી, ઓખા ,કંડલા, માંડવી જેવા બંદરો ઉપર ભયસૂચક 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.
- વાવાઝોડાની અસરને લઇને 10 નંબરના સિગ્નલ લગાવાયા
- 9 નંબર બાદ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યા છે.
- 10 નંબરનુ સિગ્નલ ગણાય છે અતિભયજનક
- રાજ્યના મોરબી, ઓખા ,કંડલા, માંડવી સહિતના બંદરો ઉપર ભયસૂચક 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.
- વાવાઝોડાની અસરને લઇને 10 નંબરનું સિગ્નલ લગાવાયું
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 દિવસ ભારે વરસાદ ની આગાહિ
- ગુજરાતમાં 14 જૂનથી શરૂ થશે વરસાદ
- 15 અને 16 જૂને ભારે વરસાદ થઈ શકે
- હાલ પોરબંદરથી દરિયામા 320 કિલોમીટર વાવાઝોડું દૂર
- દ્વારકાથી વાવાઝોડું 360 કિલોમીટર દૂર છે
- જખૌ અને નલિયાથી 440 કિલોમીટર જેટલુ વાવાઝોડું દૂર છે.
- વાવાઝોડાનો ટ્રેક જોઇએ તો ઉત્તર દિશામાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે
- 14 જૂન સવારથી ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે તેવી શકયતાઓ છે.
- માંડવી અને કરાચીમાં વાવાઝોડાનો વિલય થશે
- જખૌ પાસેથી વાવાઝોડું પસાર થશે
- 14 અને 15 જૂને ભારે વરસાદ થવાની શકયતાઓ છે.
- કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ પડશે.
- જખૌ, નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યા છે.
- દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરના સિગ્નલની ચેતવણી આપવામા આવી છે.
- દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.
- 14 જૂન રાતથી દરિયામાં પવનની ગતિ જોર પકડશે.
- માછીમારોને 16 જૂન સુધી દરિયામા ન જવા કડક સૂચના આપવામાં આવી
- 15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું ટકરાશે
- વાવાઝોડું આવવા સમયે પવન 125થી 135ની ઝડપે ફૂંકાશે
- અત્યારે 7 કિમીની ઝડપે વાવાઝોડું કિનારા તરફ આગળ વધી રહ્યું છે
- અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે.
- 14 અને 15 જૂને અમદાવાદમાં પણ ભારે વરસાદ થશે.
સાયક્લોન અપડેટ
અગાઉ બિપોરજોય વાવાઝોડુ વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં જવાની શકયતાઓ દેખાઇ રહિ હતી તેમાં હવે ફેરફાર થયા છે. હવે બિપોરજોય વાવાઝોડુ માંડવી અને કરાચી વચ્ચે આવી રહેલું વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ક્યાં અને ક્યાં ટકરાશે તેની શકયતાઓને જોતા વહિવટી તંત્ર દ્વારા મહત્વની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. SDRF ની 12 અને NDRFની 7 ટૂકડીઓ રાજ્યના દરિયાકાંઠાના ભાગોમાં સ્ટેન્ડબાય કરવામાં આવી છે. વાવાઝોડું 15મીની બપોરે ગુજરાતના દરિયાકાંઠે અથડાય તેવી સંભાવનાઓ દેખાઇ રહિ છે. હવામાન વિભાગ દ્વારા પણ વાવાઝોડાની ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. તો વહિવટી તંત્રએ આવનારી આ વિપરિત પરિશ્તિતિને પહોંચી વળવા તમામ જાતની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
આ પણ વાંચો: વરસાદ આગાહિ: આગામી 4 દિવસ ક્યા પડશે વરસાદ ? જોઇ લો ચાર્ટ
અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધી રહેલુ બિપોરજોય વાવાઝોડું 14 મી તારીખની સવારે પૂર્વમાં ફંટાશે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છની દરિયાઈ પટ્ટી પર અસર કરશે તેવી આગાહિ કરવામાં આવી રહી છે. વાવાઝોડાની આંખ કચ્છ તરફ ગતિ કરતી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ બૂલેટિન પ્રમાણે વાવાઝોડું 5 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે આગળ વધી રહ્યું છે.
આ વાવાઝોડુ 11 તારીખે રાત્રે 11.30 વાગ્યે અક્ષાંશ 18.9°N અને રેખાંશ 67.7°E પર હતું. જે પોરબંદરથી 410 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં સ્થિત હતું. વાવાઝોડું 14મી જૂનની સવારથી ગુજરાત તરફ ફંટાવાની શકયતાઓ દેખાઇ રહિ છે. 14 અને 15 જૂન દરમિયાન ગુજરાતના રાજકોટ, કચ્છ, પોરબંદર, મોરબી, જૂનાગઢ, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહિ કરવામા આવી રહિ છે.
વાવાઝોડુ ક્યા અને ક્યારે ટકરાશે ?
બિપોરજોય વાવાઝોડાના ટ્રેક પર જોઇએ તો આ વાવાઝોડું 14 મીએ પૂર્વ તરફ ગતિ કરશે તેઉ લાગી રહ્યુ છે. વાવાઝોડું 14મી તારીખના સવારના 6 વાગ્યાથી સૌરાષ્ટ્ર-કચ્છ તરફ અને પાકિસ્તાનને અસર કરશે તેવી આગાહિ કરવામા આવી રહિ છે.. જેમાં વાવાઝોડાની આંખ કચ્છ પર ટકરાવાની શક્યતાઓ દેખાઇ રહિ છે.
આ પણ વાંચો: બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ: જાણો કયા નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે
- આ વાવાઝોડાની સ્થિતિને લક્ષમા રાખી તમામ બીચ પર્યટ્કો માટે બંધ કરવામા આવ્યા છે.
- માછીમારોને દરિયામા જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.
- પોરબંદરના દરિયાકિનારે ભયજનક 9 નંબરનુ સિગ્નલ લગાવવામા આવ્યુ છે.
- 14મી તારીખની સાંજથી 15મી તારીખના સાંજના 6 વાગ્યાનો સમય ગુજરાત માટે ઘાત સમાન રહેવાની સંભાવનાઓ છે. જેમાં 15મીની સવાર બાદ વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ કરે તેવી શકયતાઓ દેખાઇ રહિ છે. આ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમા વાવાઝોડા સાથે ભારે તોફાની પવન અને વરસાદ થવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો: વરસાદ આગાહિ: આગામી 4 દિવસ ક્યા પડશે વરસાદ ? જોઇ લો ચાર્ટ
તંત્રની તૈયારીઓ
જાન-માલનું નુકસાન રોકવા માટે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં વહિવટી તંત્ર તરફથી જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે. NDRF અને SDRFની ટીમોને દરિયાકાંઠાના જિલ્લાઓમા તૈનાત કરીને મહત્વની જવાબદારીઔ સોંપવામાં આવી છે. આ સાથે કેટલીક ટીમોને સ્ટેન્ડબાય પણ રાખી છે. લોકોને આશ્રય આપવા માટે તંત્ર તરફથી આશ્રસ્થાનો તૈયાર કરવામા આવ્યા છે. જેથી જાનહાનિ રોકી શકાય. તમામ કર્મચારીઓ અને અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા આદેશ આપવામા આવ્યા છે.
અગત્યની લીંક
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

કયા જિલ્લાઓને રેડ ઝોનમા મૂકવામા આવ્યા છે ?
કચ્છ,દેવભુમિ દ્વારકા અને જામનગર
ગુજરાત મા ક્યારે બિપોરજોય વાવાઝોડુ ટકરાવાની સંભાવના છે ?
14-15 જૂન
1 thought on “સાયક્લોન અપડેટ: બિપોરજોય વાવાઝોડુ ક્યા અને ક્યારે ટકરાશે ? જાણો પવનની સ્પીડ અને રૂટ”