Live Ayodhya Mahotsav: અયોધ્યામા નવનિર્મિત રામમંદિરમા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવા રહ્યો છે. 22 જાન્યુઆરી નો દિવસ સમગ્ર ભારતવર્ષ માટે ઐતિહાસિક બની રહેનાર છે. ભગવાન રામલલા ની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિધી યોજાનાર છે. સમગ્ર ભારત મા દિવાળી જેવો માહોલ છે. એવામા હરકોઇ લોકો આ અલૌકિક પળને લાઇવ જોવા માંગે છે. આ પોસ્ટમા આપણે અયોધ્યા Live Ayodhya Mahotsav કઇ રીતે જોઇ શકાય તેની માહિતી મેળવીશુ.
Live Ayodhya Mahotsav
અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં રોજ નવનિર્મિત મંદિરમા ભગવાન શ્રી રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા થવાથી પહેલાં ભગવાન રામનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક સામે આવી છે. લોકો ભગવાન રામલલાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. રામ મંદિરમાં 22 જાન્યુઆરી સુધી થનારા અભિષેક સમારોહ પહેલાં ગુરુવારની બપોરે રામ જન્મભૂમિનાં ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ રાખવામાં આવી છે.
‘નગરી હો અયોધ્યા સી, રઘુકુલ સા ઘરાના હો’, આ ગીત આમ તો આપણે ઘની વખત સાંભળ્યુ હશે પરંતુ આજે જે રીતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા ને શણગારવામા આવી છે અને આજે જે અયોધ્યા જોવા મળે છે, તે પહેલા ક્યારેય જોવા નથી મળી. અયોધ્યામાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર સહિત આખા અયોધ્યા શહેર ને શણગારવામાં આવ્યું છે. શ્રી રામના મંદિરને ફૂલો ની સજાવટ કરવામા આવે છે. રામલલાના નવા ઘરને રોશનીથી એવી રીતે સજાવવામાં આવ્યું છે કે જોનારનું મન પ્રફુલ્લીત રહે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. મંદિર પરિસરથી ગર્ભગૃહ સુધીની અદ્ભુત સુંદરતા મનમોહક છે. માત્ર રામ મંદિર જ નહીં, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના સ્વાગતમાં આખું અયોધ્યા શહેર દેવનગરી બની ગયું છે.
#Watch: अयोध्या में प्राण प्रतिष्ठा से पहले राम मंदिर सजकर तैयार हो गया है। मंदिर को फूलों से सजाया गया है। रामलला के नए घर को रौशनी से ऐसे संवारा गया है कि देखने वालों का मन आह्लादित हो उठे। इसका वीडियो सामने आया है। मंदिर परिसर से लेकर गर्भगृह तक की अद्भुत शोभा मन मोहने वाली… pic.twitter.com/joiiEMV2vC
— Hindustan (@Live_Hindustan) January 21, 2024
ભગવાન શ્રીરામ ની આ અલૌકિક મૂર્તિ મૈસુર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજે તૈયાર કરી છે. ગુરુવારે રામલલાની 51 ઇંચની મૂર્તિ મંદિરમાં સંપૂર્ણ વિધી સાથે સ્થાપિત કરવામા આવી હતી. અભિષેક સમારોહ સાથે સંકળાયેલા પૂજારી અરુણ દીક્ષિતે જણાવ્યું કે, બપોરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન રામની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામા આવી છે. જ્યારે પ્રધાન સંકલ્પ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ કર્યું હતું. જે આ મહોત્સવ ના યજમાન છે.
#WATCH | Uttar Pradesh: Latest visuals from Ayodhya's Ram Temple where preparations are in full swing for the Pran Pratishtha ceremony, to be held tomorrow. pic.twitter.com/0VhBeqCHJb
— ANI (@ANI) January 21, 2024
અરુણ યોગીરાજ દ્વારા નેપાળની ગંડક નદિમાથી લાવેલા પથ્થરો માથી આ પ્રતિમા તૈયાર કરવામા આવી છે. શ્યામ રંગની આ પ્રતિમા બનાવતા 2 મહિના જેટલો સમય લાગ્યો હતો.
રામમંદિર આજના કાર્યક્રમ
- સવારે 10 વાગ્યે: મંગળ ધ્વનિ
- સવારે 10:30 વાગ્યે: PM મોદિ પહોચશે
- સવારે 11 વાગ્યે: મહેમાનો આવશે
- 11:30 થી 12:30 :: ગર્ભગૃહમા પુજા
- 12:30 વાગ્યે: મુખ્ય મહેમાનો તેમનો મનોભાવ વ્યકત કરશે
- બપોરે 2:00 થી 7:00 વાગ્યા સુધી: રામલલાના દર્શન
અગત્યની લીંક
| પ્રથમ દિવસ સંધ્યા આરતી દર્શન | અહિ કલીક કરો |
| લાઈવ દર્શન લીંક | અહિ કલીક કરો |
| પ્રાણ પ્રતિષ્ઠા 84 સેકન્ડનો વિડીયો | અહિ કલીક કરો |
| Lakshya TV પર લાઈવ જુઓ અહિથી | અહિ કલીક કરો |
| રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ લાઇવ | અહિં ક્લીક કરો |
| રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ લાઇવ લીંક-2 | અહિ કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “Live Ayodhya Mahotsav: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જુઓ લાઇવ, રામલલા ની મૂર્તિના લાઇવ દર્શન”