ધાણાભાજીના પાન ખાવાના ફાયદા 

પાચન તંત્ર મજબૂત બનાવે: ધાણા ભાજીમાં અમુક માત્રા માં તેલ રહેલું હોય છે. તે આપણાં હ્રદય અને પેટના ઇન્ફેકશનને દૂર કરે છે.

શ્વાસની તકલીફ ને દૂર કરે:  તે એક એન્ટિ ઓક્સિડેંટ તત્વ ધરાવે છે જે શ્વાસની તકલીફ દૂર કરી અને મોઢાના ચાંદા પણ મટાડે છે.

ત્વચાની સમસ્યા દૂર કરે: ધાણાભાજી એન્ટિઓક્સિડેંટ, એન્ટિસેપ્ટિક અને અને કીટાણુ નાશક છે. તે ત્વચાની સમસ્યાને દૂર કરે છે.

ખરાબ કોલેસ્ટેરોલ દૂર કરે: તેમાં વિવિધ પ્રકારના એસિડિક ગુણ હોય છે જે શરીરની ખરાબ ચરબીને દૂર કરે છે.

હાડકા મજબૂત બનાવે: તેમાં ભરપૂર માત્રમાં કેલ્સિયમ હોય છે જે આપણાં હાડકા મજબૂત બનાવે છે.

ડાયાબિટીસ માં ફાયદો આપે: ધાણા ભાજી ની અંદર રહેલા તત્વો શરીરની અંદરનું સુગર લેવલ કંટ્રોલ કરે છે.

બ્લડ પ્રેસરમાં રાહત: શરીરમાં જામેલ વધારાની ચરબી દૂર થવાથી નળીની અંદરના વધારાના બ્લોકેજ દૂર થઈ જાય છે. જેથી બ્લડ પ્રેસરમાં રાહત મળે છે

આંખોની સમસ્યા દૂર થાય છે: વિટામિન એ, વિટામિન સી, એંટીઓક્સિડેંટ, અને બીટા કેરોટિન ભરપૂર માત્રમાં હોવાથી આખો માટે ફાયદા કારક છે.

માસિક ધર્મની સમસ્યામાં રાહત: માસિક ધર્મ દરમ્યાન વધુ પડતો રક્તસ્ત્રાવ થતો હોય તો કોથમીરનું પાણી પીવાથી રાહત આપે છે.